રાજુલા શહેરમાં ગાયત્રી શક્તિપીઠ રાજુલા પાટોત્સવ સમિતિ દ્વારા ૪૦મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૪ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મમય વાતાવરણમાં આ કુંડી યજ્ઞ સંપન્ન થવા પામ્યો હતો. આ યજ્ઞમાં ૧૫૦થી પણ વધારે વ્યક્તિઓએ ગાયત્રી મહામંત્રની તેમજ અન્ય મંત્રોની આહુતિ આપી. તમામ વિધિ ગુરુદેવ શ્રીરામ શર્મા, આચાર્ય વિરચિત, ભારતભાઈ આચાર્ય અને આશાબહેન આચાર્ય, જાગૃતિબહેન રાજ્યગુરુ દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવી હતી. દાતાઓનું યુવક મંડળ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.