બગસરાના નટવર નગર વિસ્તારના લોકો ભર ઉનાળે વીજળીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, જેને લઈ વીજ તંત્ર દ્વારા તાત્કાલીક નિરાકરણ લાવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી વિગતો મુજબ, વિસ્તારમાં લો વોલ્ટેજની ફરિયાદ હતી જેને લઈને લોકોએ વીજ કંપનીના અધિકારી મહીડાને ફરિયાદ કરતાં તેમણે પ્રશ્નનું તાત્કાલીક નિરાકરણ કર્યું હતું. ખુદ વીજ કંપનીનો કાફલો લઈને આ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ધોમધખતા તાપમાં કર્મચારીઓ પોલ પર ચડીને આ પ્રશ્નનું નિરાકરણ લાવ્યા હતા. આવી ઝડપી કામગીરી જોઈને લોકોએ પણ વીજ કંપનીના કર્મચારીઓનો આભાર માન્યો હતો.