જાફરાબાદના નાગેશ્રી ગામે રહેતા હિતેષભાઈ પ્રાગજીભાઈ જોગદીયા (ઉ.વ.૨૩)એ તેમના જ ગામના રવિ લખમણભાઈ સાંખટ સામે ડો. બાબાસાહેબ આંબેડકરના પોસ્ટર પર બેસીને તેનું અપમાન કરવાની ફરિયાદ નોંધાવી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.