દામનગરમાં સાસુ-વહુના ઝઘડામાં પડોશી સમજાવવા ગયા હતા. આ સમયે પતિ આવતાં તેમણે સમજાવટ માટે આવેલા પડોશીને ઘરે જતા રહેવા જણાવ્યું હતું. જેને લઈ મામલો વણસ્યો હતો અને ઢીકાપાટુ માર્યા હતા.
બનાવ અંગે આબીદભાઈ ઉસ્માનભાઈ સૈયદ (ઉ.વ.૩૦)એ વિપુલભાઈ ઉર્ફે લાલો ભલાભાઈ આદસરા, અજયભાઈ ભલાભાઈ આદસરા તથા ભોળાભાઈ ચોથાભાઈ આદસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીના પત્ની તથા માતા બન્ને તેના ઘરે અંદરો-અંદર ઝઘડો કરતા હતા. તે તેમના ઘરની સામે રહેતા હોવાથી તેઓ ઝઘડો નહીં કરવા સમજાવવા ગયા હતા. આ દરમિયાન તેઓ તેમના ઘરે જમવા આવતા ઘરના બહારના ભાગે હાજર હતા. ત્યારે આરોપી બોલાચાલી કરીને ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા લોખંડના પાઈપ, ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજા કરી હતી.
દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.