ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગાયબ છે. તેના પિતાએ દિલ્હી પોલીસને આ માહિતી આપી છે. તેના પિતાના જણાવ્યા અનુસાર ગુરુચરણ સિંહ સોમવારે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા. તે મુંબઈ જઈ રહ્યો હતો. પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો ફર્યો છે.
એક ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, ગુરુચરણ સિંહના પિતાએ પોલીસ સ્ટેશન જઈને અભિનેતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મારો પુત્ર ગુરચરણ સિંહ, ઉંમરઃ ૫૦ વર્ષ, ૨૨ એપ્રિલે સવારે ૮ઃ૩૦ વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ લાગી રહ્યો નથી. તે માનસિક રીતે સ્થિર છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ છે.
હરગીત સિંહે કહ્યું- એસએચઓએ મુધેને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે. મને આશા છે કે ગુરચરન ઠીક છે અને તે ખુશ છે. તે હવે જ્યાં પણ છે, ભગવાન તેને સુરક્ષીત રાખે.
તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ છેલ્લે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના રોલમાં જાવા મળ્યા હતા. તેણે તેના પિતાની તબિયતની સમસ્યાને કારણે ટીવી શો છોડી દીધો હતો. તેણે કહ્યું કે તે પોતાનો બધો સમય પોતાના પરિવાર પર કેન્દ્રિત કરવા માંગે છે. જા કે, શો છોડનારા અન્ય કલાકારોની જેમ, નિર્માતાઓએ ગુરુચરણને તેમની બાકી રકમ ચૂકવી ન હતી. જ્યારે જેનિફર મિસ્ત્રીએ તેની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે જ નિર્માતાઓએ તેની બાકી ચૂકવણી કરી હતી.