અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત છે. જાફરાબાદના શિયાળબેટ ખાતે શિવાભાઈ શામજીભાઈ બાલધીયા (ઉ.વ.૩૦)એ અજાણ્યા બોલેરો ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતા મોટર સાયકલ લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે વિકટર ગામ નજીક રોડ ઉપર પહોંચતા સામેથી એક અજાણ્યા બોલેરો ચાલકે પૂરઝડપે આવી તેમના પિતાને ટક્કર મારી હતી. જેમાં તેમના પિતાને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક બોલેરો લઇ નાસી ગયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જી.મયા વધુ તપાસ કરી રહ્યા છે.