ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર, ધારી રોડ ચલાલા ખાતે આગામી તા.૦૮-૦૫-૨૦૨૪ બુધવારના રોજ ૨૬૬મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સર્વરોગ કેમ્પનું આયોજન કરેલ છે. રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે. આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરી દવા આપવામાં આવશે અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઈ ફેકોમશીન દ્વારા ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી મૂકી અદ્યતન સારવાર અને દવા આપવામાં આવશે. દર્દીઓએ આધારકાર્ડની ઝેરોક્ષ નકલ સાથે લાવવી. દંતયજ્ઞમાં દાંતના તમામ રોગો જેવા કે દાંત કાઢવા, ચાંદી પૂરવી વગેરેની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. સર્વરોગ કેમ્પમાં તમામ પ્રકારના રોગો જેવા કે શ્વાસ, હરસ, મસા, ડાયાબીટિસ, પેટના રોગો, વાના રોગો વગેરેની સારવાર કરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે.આ કેમ્પનો જરૂરીયાતમંદ દર્દીઓ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.