વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક બાદ રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈંટનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરાયો છે. આ વધારાને પગલે હવે રેપો રેટ ૪.૪૦ ટકાથી વધીને ૪.૯૦ ટકા થઈ જશે. હવે તમારી બેંક લોન ચાલતી હશે તો તેનો હપ્તો એટલેકે, ઇએમઆઇ પહેલાં કરતા વધુ મોંઘી થશે. આરબીઆઇની આ જાહેરાત સાથે જ શેરમાર્કેટ પર પણ એની અસર જાવા મળી. સેન્સેક્સમાં ૪૦૦ પોઈન્ટનો ઘટાડો જાવા મળ્યો.
લગભગ એક મહિનાના ગાળામાં રેપો રેટમાં આ સતત બીજા વધારો છે.રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીની જૂનની બેઠક બાદ આજે રેપો રેટમાં વધારાની માહિતી આપી હતી. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની આ ત્રણ દિવસીય બેઠક સોમવારથી ચાલી રહી હતી અને આજે પૂરી થઈ. આ નાણાકીય વર્ષમાં આરબીઆઈ એમપીસીની આ ત્રીજી બેઠક હતી. બેઠકમાં, સમિતિના પાંચ સભ્યોએ ગવર્નર દાસના નેતૃત્વમાં મોંઘવારી અને આર્થિક વૃદ્ધિની આર્કિટેક્ચરલ પરિસ્થિતિ પર ચર્ચા કરી. બેકાબૂ ફુગાવાને જાતા સમિતિના સભ્યોએ સહમતિ દર્શાવી કે હાલમાં રેપો રેટ વધારવા સિવાય બીજા કોઈ વિકલ્પ નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બેંકએ લાંબા અંતર પછી ગયા મહિને રેપો રેટમાં અચાનક વધારો કરવાની જાહેરાત કરી હતી. ગવર્નર દાસે અચાનક આપાતકાલીન બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક યોજી હતી. તે બેઠકમાં પણ, એમપીસીના સભ્યોએ સર્વસંમતિથી રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય મે મહિનામાં રેપો રેટની સાથે રિઝર્વ બેંકે કેશ રિઝર્વ રેશિયોમાં ૦.૫૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જાકે,એમપીસીએ એકમોડેટીવ મોનેટરી પોલિસી સ્ટેન્સ જાળવી રાખ્યું હતું.
સરકારી ડેટા અનુસાર, એપ્રિલ ૨૦૨૨માં છૂટક ફુગાવાનો દર ૭.૮ ટકા હતો, જે મે ૨૦૧૪ પછી સૌથી વધુ છે. એ જ રીતે, એપ્રિલ ૨૦૨૨ માં, જથ્થાબંધ ફુગાવાનો દર વધીને ૧૫.૦૮ ટકા થયો હતો, જે ડિસેમ્બર ૧૯૯૮ પછી સૌથી વધુ છે. એપ્રિલ મહિનામાં રેકોર્ડ ફુગાવા માટે ખાદ્ય અને ઈંધણનો ફુગાવો જવાબદાર હતો.
ખાદ્ય ફુગાવાની વાત કરીએ તો તે માર્ચમાં ૭.૬૮ ટકાથી વધીને એપ્રિલમાં ૮.૩૮ ટકા થઈ ગઈ છે. મે મહિનાના ફુગાવાના આંકડા હજુ જાહેર થયા નથી. જા કે ભૂતકાળમાં જે રીતે ટામેટાંના ભાવ વધ્યા છે તે જાતાં મોંઘવારીનો દર ઊંચો રહેવાની ધારણા છે. બીજી તરફ, સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવા, ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દૂર કરવા અને એવિએશન ફ્યુઅલની કિંમતમાં ઘટાડો કરવા જેવા પગલાં લીધા છે. આ પ્રયાસો મોંઘવારી થોડી નીચે લાવી શકે છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે આરબીઆઈએ લાંબા સમય સુધી રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને ટાંકીને ભારતના ફુગાવાના અનુમાનને અગાઉના ૫.૭ ટકાથી સુધારીને ૬.૭ ટકા કર્યો છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવ દબાણ હેઠળ છે. ફુગાવાના અનુમાનને વધારતા આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે આગામી ત્રણ ક્વાર્ટરમાં ફુગાવાનો દર ૬ ટકાથી ઉપર રહેવાની ધારણા છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ફુગાવાનો દર ૬.૩ ટકાના બદલે ૭.૫ ટકા રહેશે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે ૭.૪ ટકા અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ૬.૨ ટકા રહેવાનો અંદાજ છે. તે જ સમયે, ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચ માટે મોંઘવારીનું અનુમાન ૫.૧ ટકાથી વધારીને ૫.૮ ટકા કરવામાં આવ્યું છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૩ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન ૭.૨ ટકા જાળવી રાખ્યું છે, જાખમો સમાનરૂપે સંતુલિત છે. તેણે ત્રિમાસિક ગાળામાં ૬.૨ ટકા, ત્રીજા ક્વાર્ટરમાં ૪.૧ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ચાર ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ સિવાય આરબીઆઈનું અનુમાન છે કે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે.
ઉલ્લેખનીય છેકે, આરબીઆઈ દ્વારા છેલ્લાં એક જ માસમાં બીજીવાર રેપો રેટમાં વધારો કરાયો છે. આ પહેલાં ૪ મેના રોજ આરબીઆઈએ રેપો રેટમાં અચાનક ૪૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આ સમય દરમિયાન કેશ રિઝર્વ રેશિયો પણ ૦.૫૦ ટકાથી વધારીને ૪.૫ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. દેશમાં મોંઘવારીનો દર સતત ૬ ટકાથી ઉપર રહ્યો છે. ત્યારે વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે અને સામાન્ય લોકોને રાહત આપવા આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવાયો છે.