અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૦૫ વિધાનસભા મતદાર વિભાગ (૯૪-ઘારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા તથા ૯૮-રાજુલા)ના કૂલ ૧૨૭૧૩૭૫ મતદારોના એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે, જે પૈકી ૮ લાખથી વધુ ફોર્મ બી.એલ.ઓ.દ્વારા પરત મેળવી તેમને ડિજિટાઇઝ કરવામાં આવેલ છે. આમ, આ કામગીરી અમરેલી જિલ્લામાં હાલ ૬૪.૧૭ % પૂર્ણ કરવામાં આવી છે.
બાકી રહેતા ફોર્મ પરત મેળવવાની કામગીરી ચાલુમાં છે. જે ફોર્મ સત્વરે પરત મેળવી તેને પણ ડિજિટાઇઝ કરવામાં આવશે. આ ઉપરાંત જે મતદારોએ ફોર્મ પરત જમા કરાવેલ નથી, તેવા મતદારો પોતાના ફોર્મ આગામી તા.૨૯/૧૧/૨૦૨૫ તથા તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ સંબંધિત મામલતદાર કચેરીઓ ખાતે જમા કરાવી શકશે. વહીવટી તંત્ર તરફથી આ માટે મામલતદાર કચેરીઓ ખાતે જરૂરી વ્યવસ્થા કરવામાં આવનાર છે.
આથી અમરેલી જિલ્લાના સામાન્ય રહીશ હોય તેવા તમામ મતદારોને પોતાનું ફોર્મ સત્વરે જમા કરાવી BLOશ્રીને સહકાર આપવા માટે કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.








































