અમરેલીમાં સરકારી નોકરીના ફરજના સ્થળે ઝેરી દવા પીનારા પુરુષનું સારવારમાં મોત થયું હતું. આ અંગે ધવલભાઇ મુકેશભાઈ બગથળીયા (ઉં.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા મુકેશભાઈ બચુભાઈ બગથળીયા (ઉ.વ.૫૧) મારું લગ્ન સફળ થતું ન હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા. જેને લઈ મનમાં લાગી આવતાં ન‹સગ સ્કૂલના બાંકડા પાસે ઝેરી દવાની ટિકડી પોતાની સરકારી નોકરીના ફરજના સ્થળે પી લીધી હતી. જે બાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.કે.જાડેજા વધુ તપાસ
કરી રહ્યા છે.