ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા છેવટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરોક્ષ રીતે હિંદુત્વનું કાર્ડ ઉતર્યા હતા. તેમણે જણાવ્યું હતું લોકોએ મત જેને આપવો હોય તેને આપી શકે, પરંતુ આપણી હિંદુ સંસ્કૃતિનો જ વિરોધ કરતા હોય શું તેવા લોકોને તમે મત આપશો તે તમારે નક્કી કરવાનું છે. આમ તેમણે પરોક્ષ રીતે કોંગ્રેસની ટીકા કરી હતી અને તેને હિદુત્વ વિરોધી અને હિંદુ ભાવના વિરોધી ગણાવી હતી, જેણે રામમંદિરના વિરોધમાં ૨૪-૨૪ વકીલ રોક્યો હતા.
તેમનું કહેવું હતુ કે રાજકારણ તો ચાલતુ જ રહેવાનુ, રાજકીય પક્ષો આવતા રહેશે જતાં રહેશે, પણ સંસ્કૃતિ રહેવી જાઈએ. તેથી આપણી સંસ્કૃતિનો જે વિરોધ કરતું હોય તે બાજુ ઢૂકવુ પણ ન જાઈએ એમ તેમણે તેમની આગવી અને છટાદાર શૈલીમાં જણાવ્યું હતું.
ભાજપના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે પ્રચાર કરતી જાહેર સભાને સંબોધિત કરી હતી. ભીડને સંબોધતા, રૂપાલાએ કોંગ્રેસ પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “આપણે આપણી દીકરીઓને તેમના પારિવારિક પૃષ્ઠભૂમિના આધારે લોકોને સોંપીએ છીએ. તેવી જ રીતે, તેમના પારિવારિક પૃષ્ઠભૂમિના આધારે પણ મત આપવો જાઈએ. હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરતા પરિવારોને મત ન આપવો જાઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું કે સુરતના લોકો નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપે છે, જેના કારણે ભારત વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. દેશો એકબીજા સાથે લડી રહ્યા છે. આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ, ભારત એલપીજી, પેટ્રોલ અને ડીઝલ આયાત કરી રહ્યું છે. ગમે તે દેશો લડી રહ્યા હોય, ભારત તે બધા સાથે સારા સંબંધો જાળવી રાખે છે. યુદ્ધ લડી રહેલા બધા દેશો ભારતના મિત્ર છે, અને તેથી જ એલપીજી, પેટ્રોલ અને ડીઝલના કન્ટેનર ભારત પહોંચી શકે છે. આ બધું કેવી રીતે શકય છે? કારણ કે સુરતના લોકો નરેન્દ્ર મોદીને મત આપે છે.
આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ સુરતમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા. તેમણે મોટા વરાછામાં જાહેર સભા યોજી હતી. માંડવિયાએ કહ્યું હતું કે વરાછાની છબી ખરડવી ન જાઈએ. એવું કોઈ કલંક ન હોવું જાઈએ કે વરાછા ભાજપ સાથે નથી. ભાજપનું બીજ સુરતના વરાછામાં વવાયું હતું.