પાકિસ્તાન, કાશ્મીર પર તેના પ્રચારને વધુ તીવ્ર બનાવતી વખતે, દર વર્ષે કાશ્મીર એકતા દિવસ ઉજવવાનો ડોળ કરે છે, પરંતુ આ વખતે તે ઇસ્લામાબાદ માટે શરમજનક બન્યું છે. યુરોપભરના કાશ્મીરીઓએ પાકિસ્તાનના પ્રચારનો પર્દાફાશ કર્યો છે, તેને દાયકાઓથી ચાલી આવતી હિંસા, જુલમ અને વસ્તી વિષયકતાને છુપાવવા માટે રચાયેલ સ્ટંટ ગણાવ્યો છે. બ્રિટનથી બેલ્જયમ સુધીના ઘણા દેશોમાં કાશ્મીરીઓએ પાકિસ્તાનના પ્રચારનો વિરોધ કર્યો, ઇસ્લામાબાદ પર કાશ્મીરમાં પ્રોક્સી યુદ્ધ ચલાવવાનો અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો.
બ્રિટનમાં સૌથી મોટું પ્રદર્શન બ્રેડફોર્ડમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર થયું. યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી ના બેનર હેઠળ કાશ્મીરીઓએ એક વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે પાકિસ્તાનના કાશ્મીર સોલિડેરિટી ડેને એક બનાવટી ગણાવીને નકારી કાઢ્યો. “કબજા અસ્વીકાર્ય છે” અને “રાજ્ય આતંકવાદનો અંત લાવો” જેવા નારા લગાવવામાં આવ્યા.
એક અહેવાલમાં જમ્મુ કાશ્મીર નેશનલ ઇન્ડપેન્ડન્સ એલાયન્સના અધ્યક્ષ મહમૂદ અહેમદ કાશ્મીરને ટાંકીને કહ્યું કે પાકિસ્તાનનું નિવેદન એ લોકોનું અપમાન છે જેમની રાષ્ટીય ઓળખ અને કુદરતી સંસાધનોનો નાશ થઈ રહ્યો છે.યુકેપીએનપીના સરદાર ટિક્કા ખાન તાહિરે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં કાયદાના ઉલ્લંઘન અને કાશ્મીરીઓ પર અત્યાચાર માટે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે બિન-સ્થાનિક લોકોને નકલી દસ્તાવેજાનો ઉપયોગ કરીને સ્થાયી કરવામાં આવી રહ્યા છે.
યુરોપ અને યુકેમાં રહેતા કાશ્મીરી નેતાઓએ ૫ ફેબ્રુઆરીને એકતાના દિવસને બદલે છેતરપિંડીના દિવસ તરીકે ઉજવ્યો, કહ્યું કે તેઓ રાજ્યના બળજબરીથી ભાગલા પાડવામાં પાકિસ્તાનની ભૂમિકાને યાદ કરે છે. બ્રસેલ્સમાં પણ આવા જ વિરોધ પ્રદર્શન થયા. બ્રસેલ્સમાં યુકેપીએનપીની વિદેશ બાબતોની સમિતિએ જણાવ્યું હતું કે ૫ ફેબ્રુઆરી હવે આંતરરાષ્ટીય તમાશો માટે રચાયેલ ઘટના બની ગઈ છે. યુકેપીએનપીના પ્રમુખ જમીલ મકસૂદે કહ્યું કે કાશ્મીરીઓને ઉપરછલ્લી એકતા નહીં પણ ન્યાય, ગૌરવ અને પોતાનું ભવિષ્ય નક્કી કરવાના અધિકારની જરૂર છે.






































