ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખીને ઘણા ગંભીર આરોપો કર્યા છે. આ પત્ર બહાર આવતા જિલ્લામાં રાજકારણમાં ભારે ગરમાવો જાવા મળી રહ્યો  છે.સાંસદ મનસુખ વસાવાએ પોતાના પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ પક્ષના જૂના કાર્યકરોની અવગણના કરી રહ્યા છે અને ખોટા તથા ભ્રષ્ટ લોકોને આગળ ધપાવી રહ્યા છે. તેના જણાવ્યા મુજબ, બીટીપી (બીટીપી)માંથી આવેલા લોકોને મહત્વના પદો આપવામાં આવ્યા હતા, અને હવે પણ તે જ માર્ગે ભાજપના જિલ્લા પ્રમુખ આગળ વધી રહ્યા છે.સાંસદે પ્રકાશ દેસાઈને અણી પર રાખી જણાવ્યું કે, પ્રકાશ દેસાઈ ડેરીમાં એક લિટર દૂધ પણ આપતા નથી, છતાં રાજકીય પ્રભાવનો ખોટી રીતે ઉપયોગ કરીને ઉમેદવારી કરી છે. આવા લોકો ડેરી જેવી સહકારી સંસ્થા માટે યોગ્ય નથી. વસાવાએ લખ્યું કે, “જા આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થાઓમાં પ્રવેશશે તો સંસ્થાની હાલત શું થશે તે તો આવનારો સમય જ બતાવશે.”સાંસદે પોતાના પત્રમાં નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે. તેના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલામાં જિલ્લા પ્રમુખ તથા જિલ્લા રજિસ્ટ્રાર ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કામ કરી રહ્યા છે. આ આક્ષેપો સાથે તેમણે સીધુંજ પ્રશ્ન ઉઠાવ્યો કે સહકારી આંદોલનને આગળ ધપાવતી સંસ્થાઓમાં જા આવા લોકો સત્તામાં આવશે તો ખેડૂત હિતોને ગંભીર નુકસાન થશે.મનસુખ વસાવાએ ઝઘડિયા એપીએમસીના મુદ્દે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, પક્ષની પરંપરા વિરુદ્ધ જઈને ઝઘડિયા છઁસ્ઝ્રનું માળખું મનમાનીથી બનાવવામાં આવ્યું છે. પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ જિલ્લાના કે પ્રદેશના કોઈ પણ નેતાઓને પૂછ્યા વગર આ માળખું ઊભું કરી દીધું છે. આ પ્રકારના એકતરફી નિર્ણયો પક્ષની જડને નબળી બનાવે છે અને આંતરિક અસંતોષ ઉભો કરે છે.સાંસદ વસાવાએ ખાસ ભારપૂર્વક જણાવ્યું કે, આજે પક્ષના જૂના કાર્યકરોની અવગણના થઈ રહી છે. જે કાર્યકરો વર્ષોથી ભાજપ માટે મેદાનમાં પરિશ્રમ કરે છે, તેમને પાછળ ધકેલીને નવા તથા ભ્રષ્ટ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ પક્ષ માટે યોગ્ય નથી.પત્રના અંતમાં સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને ચેતવણીના સ્વરે સલાહ આપી છે કે, “જૂના કાર્યકરોની અવગણના ન કરો અને મહત્વના નિર્ણયો લેતા પહેલા જિલ્લા સંકલનને વિશ્વાસમાં લો.” નહિ તો આવનારા સમયમાં પક્ષને મોટો રાજકીય નુકસાન સહન કરવો પડી શકે છે.સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો બાદ ભરૂચ જિલ્લાના રાજકીય પરિસ્થિતિમાં ભારે ગરમાવો જાવા મળી રહ્યો છે. ડેરીની ચૂંટણી પહેલાં ભાજપમાં જ ખુલ્લેઆમ જૂથબંધી અને મતભેદો સામે આવતા કાર્યકરોમાં ચર્ચાઓનું વલય છે. સ્થાનિક સ્તરે આ પત્રને લઈને તીવ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે અને પક્ષની અંદર આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી માત્ર એક સહકારી સંસ્થા સુધી મર્યાદિત નથી રહી, પરંતુ હવે તે જિલ્લાના રાજકારણમાં હવામાન બદલનારી ઘટના સાબિત થઈ શકે છે. સાંસદ અને જિલ્લા પ્રમુખ વચ્ચેનો આ વિવાદ ભાજપના સ્થાનિક સંગઠનમાં નવી રાજકીય સમીકરણો ઉભા કરી શકે છે.