રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં, ૨૭ મુસાફરોને લઈ જતી જીપ કાબુ ગુમાવી અને ખાઈમાં પડી ગઈ. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ઉદયપુર જિલ્લાના કોટડાના આદિવાસી પ્રદેશમાં બિલવાન તરફ જતી એક જીપની બ્રેક અચાનક ચઢતી વખતે ફેલ થઈ ગઈ. ડ્રાઈવરે જીપને કાબૂમાં લેવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે રસ્તા પરથી પલટી ગઈ અને સીધી ૬૦ ફૂટ ઊંડી કોતરમાં ખાબકી ગઈ. અકસ્માત સમયે જીપમાં કુલ ૨૭ લોકો સવાર હોવાનું જાણવા મળે છે.
ઘટના બાદ, ઘણા લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. ભેગા થયેલા લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં કોટડા પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. ઘાયલોને સારવાર માટે કોટડા હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા. નરસા ગરાસિયાના પુત્ર કાબુ, વખ્તા ગરાસિયાની પત્ની રેશમી અને રોશન ગરાસિયાના પુત્ર સુરેશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. મૃતદેહો કોટડા હોસ્પિટલ ના શબઘરમાં જમા કરાવવામાં આવ્યા છે.
રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં આવેલું કોટાડા, મોટાભાગે આદિવાસી વિસ્તાર છે. આ વિસ્તારમાં ૧૨૦ થી વધુ જીપ દોડે છે, જે ઘણીવાર ઓવરલોડેડ હોય છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ ઘણી વખત બની છે, જેના પરિણામે ઘણા લોકોના જીવ ગયા છે. તેમ છતાં, બધી જીપ ઓવરલોડેડ ચલાવે છે. બુધવારના અકસ્માત દરમિયાન, જીપમાં ક્ષમતા કરતાં વધુ ૨૭ મુસાફરો હતા.
આદિવાસી વિસ્તારમાં આવા અકસ્માતો નિયમિતપણે બનતા હોવા છતાં, પોલીસ અને પરિવહન વિભાગ હવે ઓવરલોડેડ સામે કડક કાર્યવાહીના અભાવ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. બંને વિભાગો હવે એ હકીકત પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જા વહીવટીતંત્રે સમયસર ઓવરલોડેડ સામે કડક કાર્યવાહી કરી હોત, તો આવા અકસ્માતો ઘટાડી શકાતા હતા.