ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તારીખ ૨૯/૫થી ૧૨/૬ દરમિયાન પ્રી ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન માટેનો કૃષિ રથ ધારી તાલુકાના ધારી, માધુપુર, દેવળા મુકામે પહોંચ્યો હતો. આ યાત્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મીનાક્ષીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. વી.એસ. પરમાર, ડો. એન.એમ. કાછડીયા અને ખેતી અધિકારી સુજીત બારિયા દ્વારા ખેડૂતોને આધૂનિક ખેત પદ્ધતિની માહિતી અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં નિવૃત વિસ્તરણ અધિકારી એ.એમ. શેખવાએ પણ હાજર રહી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. બાગાયત અધિકારી અક્ષય ચૌહાણ સહિત આત્મા પ્રોજેકટના અધિકારી પણ હાજર રહેલ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.