વાંકીયા ગામની સીમમાં વાડીએ રહેતી એક પરપ્રાંતીય યુવતીનું ગળું દબાવીને મોત નિપજાવવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ભાભરા તાલુકાના અમનકુવા કંચનાગલી ફળીયાના રહેવાસી મંગલીયાભાઈ લચ્છુભાઈ વસુનીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ સંજયભાઇ અનેસિંગભાઇ મોહનીયાએ તેમની દીકરી રેખાબેન (ઉ.વ.૨૦) ઉપર બીજા કોઈ પુરુષ સાથે વાત કરતી હોવાની શંકા વહેમ રાખી ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. ઘટના સમયે પોલીસે મૃતદેહ જોતા મૃતકના શરીર પર કેટલાક નિશાન મળી આવ્યા હતા. જેથી લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બીજી તરફ મૃતક રેખાના પિતાએ પોતાના જમાઇ સંજય પર શંકા વ્યક્ત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, મારી પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાથી મેં જ મારી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.