કુકાવાવ તાલુકાના જીથુડી ગામેથી બળેલ પીપરીયા ગામને જોડતો કાચા માર્ગ પર ગટરના ગંદા પાણી ભરાઈ જવાથી રસ્તો બંધ થઈ ગયો છે. જેને કારણે સ્થાનિક ખેડૂતો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે લાંબો ફેરો ફરીને જવું પડે છે, જેનાથી સમય અને શક્તિનો વ્યય થાય છે. આ ઉપરાંત, રસ્તા પર ગટરના ગંદા પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ગામમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનો તંત્ર પાસેથી આ રસ્તાનું સમારકામ વહેલી તકે થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરશે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે.