આઇપીએલ ૨૦૨૫ માં મુંબઈ ઇન્દીયનસની સફર ક્વોલિફાયર ૨ સાથે સમાપ્ત થઈ. મુંબઈ ટીમે વર્ષ ૨૦૨૦ માં તેનું છેલ્લું ટાઇટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં, મુંબઈ ઇન્દીયનસ ૨૦૨૬ સીઝન પહેલા કેટલાક ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. આમાં એવા ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે જેમને આઇપીએલ ૨૦૨૫ માં વધુ તકો મળી ન હતી. તેથી, ટીમ તેમને રિલીઝ કરવાનું વિચારી શકે છે.
માહિતી અનુસાર અલ્લાહ ગઝનફર ઘાયલ થયા બાદ મુજીબ ઉર રહેમાનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ફક્ત એક જ મેચ રમવાની તક મળી. તે ટીમ કોમ્બીનેશનમાં ફિટ થઈ શક્યો નહીં. તેથી, મુંબઈ તેને આઇપીએલ ૨૦૨૬ પહેલા રિલીઝ કરી શકે છે.જયારે સત્યનારાયણ રાજુને પણ આઇપીએલ ૨૦૨૫ માં ફક્ત બે મેચ રમવાની તક મળી. તે ટીમમાં અશ્વીની કુમાર અને કોર્બિન બોશ જેવા બોલરોથી પાછળ રહી ગયો. રાજુને પણ મુંબઈમાંથી રિલીઝ કરી શકાય છે.
રાજ અંગદ બાવા એક ઓલરાઉન્ડર છે. તેને આઇપીએલ ૨૦૨૫ માં બે મેચ રમવાની તક મળી. પરંતુ તેને કોઈ પણ મેચમાં બેટિંગ કે બોલિંગ કરવાની તક મળી ન હતી. તે ગુજરાત સામેની એલિમિનેટર મેચમાં પણ ટીમનો ભાગ હતો. પરંતુ તેને બેટિંગ કે બોલિંગ કરવાની તક મળી ન હતી. મુંબઈ પણ તેને રિલીઝ કરી શકે છે.
શ્રીજીત કૃષ્ણન વિકેટકીપર બેટ્સમેન છે. તે રાયન રિકેલ્ટન અને રોબિન મિંજ પછી ટીમમાં ત્રીજા વિકેટકીપર છે. તેને ભાગ્યે જ રમવાની તક મળશે. રીસ ટોપલીને આ સિઝનમાં મુંબઈ ઇન્દીયનસ માટે એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ટ્રેન્ટ બોલ્ટ અને કોર્બિન બોશ તેના કરતા આગળ હતા. તેથી જ તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતું.
આ બધા ખેલાડીઓને આઇપીએલ ૨૦૨૫ માં વધુ તક મળી ન હતી. તેથી મુંબઈ તેમને મુક્ત કરવાનું વિચારી રહ્યું છે. ટીમ નવા ખેલાડીઓને તક આપવા માંગે છે. જેથી આઇપીએલ ૨૦૨૬ માટે એક મજબૂત ટીમ બનાવી શકાય.