બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ, અમરેલી શાખાના એડવાઈઝરી બોર્ડ મેમ્બર સ્વર્ગસ્થ વિજયભાઈ વાજાના આકસ્મિક અવસાન બાદ, શાખાની એડવાઇઝરી મિટિંગમાં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં તેમણે કરેલા સામાજિક, રાજકીય, ધાર્મિક અને સમાજને ઉપયોગી સેવાકાર્યોના સંસ્મરણો યાદ કરીને તેમને ભાવાંજલિ આપવામાં આવી હતી. મંડળી તરફથી સ્વ. વિજયભાઈ વાજાના વારસદારને બાજપાઈ સહાય નિધિ અંતર્ગત રૂ.૨૫,૦૦૦/-નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. શાખાના એમ.ડી. તનસુખભાઈ ઠાકર, ડિરેક્ટર શાંતિલાલ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.