જાફરાબાદનાં સામાકાંઠા વિસ્તારમાં ઈલેકટ્રીક શોર્ટ સર્કીટથી મચ્છી સૂકવણીના વાડામાં આગ લાગતા બે મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. મકાનમાં આગ લાગ્યા બાદ અંદર રહેલા બે ગેસના સિલિન્ડરો ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કયુ્‌ર્ હતું અને ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડ્યા હતા. જેથી લોકો ભયભીત થયા હતા. ધારાસભ્ય હિરાભાઈ સોલંકી સહિતના આગેવાનો ઘટના સ્થળે પહાંચી ગયા હતા. છેલ્લા કેટલાય સમયથી જાફરાબાદમાં ફાયર ફાઈટર ન હોય નગરપાલિકાના સત્તાધીશો સામે માછીમાર ખારવા સમાજમાં રોષ ફેલાયો હતો. ટૂંકા ગાળામાં જ આગની ચાર ઘટના બનતા ખારવા સમાજના પ્રમુખ ભગુભાઈ સોલંકી સહિતના આગેવાનોએ જાફરાબાદમાં ફાયર ફાઈટર ફાળવવા માંગ કરી હતી.