અમરેલીના રામજી મંદિર ખાતે અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર દ્વારા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતી કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના નગર અધ્યક્ષ પ્રતાપસિંહ રાઠોડની આગેવાનીમાં નગર મંત્રી સંજયભાઈ પંડ્‌યા, સહમંત્રી પ્રકાશભાઈ શુક્લ, માતૃશક્તિ સંયોજક કિરણબેન વાજા અને બજરંગ દળ સંયોજક મહાવીરસિંહ વીંછિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ ઈતેશભાઈ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં રામભક્તોએ આરતીનો લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.