આજના સમયમાં મોબાઇલના વપરાશ કરતાં લોકોને તેનાથી એક મિનિટ પણ અળગું થવું ગમતું હોતું નથી. અમરેલીમાં એક પુરુષે તેની પત્નીને મોડી રાત સુધી મોબાઈલમાં સ્ટેટસ ન જોવાનું કહેતાં બોલાચાલી કરી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે મૂળ જામનગરના લાલપુરના મોટા ખડબાના અને હાલ અમરેલીમાં રહેતા નિકુલસિંહ કિરતસિંહ જાડેજા (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ગાયત્રીબા (ઉ.વ.૨૫) મોડી રાત સુધી ફોનમાં સ્ટેટસ જોતી હતી. તેમને બે વર્ષની દીકરી હોવાથી તેને સુવડાવીને સુઈ જવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને બોલાચાલી કરી હતી અને ઘરમાં કોઈ હાજર નહોતું ત્યારે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. અમરેલી વિભાગના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.જી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.