તલઃ • ગાંઠીયા માખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીનાં મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦મિ.લિ. (૧ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા કાર્બારીલ ૫૦ વે.પા. ૪૦ ગ્રામ, મીથાયલ-ઓ-ડીમેટોન ૧૦ મીલી.અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ./ ડાયમીથોએટ ૧૦ મીલી. પૈકીની કોઇપણ એક દવાનો ફુલ ઉઘડવાની અવસ્થાએ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
મગફળીઃ
• મગફળીમાં સુયા વધારવા માટે ૨૬ કિલોનું બેરલ પાક ઉભાડી મગફળી જેવીકે જીજી-૩૨ તેમજ ગીરનાર-૪ ઉપર ફેરવવું તેવું મગફળી સંશોધન કેન્દ્ર જલગાઉ ખાતે સંશોધનના પરિણામો મળેલ છે, બેરલ ૫૦ અને ૭૦ દિવસે ફેરવવું. બીજું ૬૦ દિવસે પેટ્રોબુટાઝોન ૨૩% અથવા ૪૦% પંપમાં ૫ ml + સાથે ૦-૦-૫૦ સોલ્યુબલ ખાતર + તેમાં ૨૦ ગ્રામ બોરોનને ગરમ પાણીમાં ઓગાળી ત્રણેને પમ્પમાં નાખી છંટકાવ કરવો.
• મગફળીના પાકને નીંદણ મુક્ત રાખવા માટે વિવિધ પાકને વાવણી પછી ૫૦ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો. આ માટે બે આંતરખેડ ૨૫ અને ૩૫ દિવસે અને હાથથી નિંદામણ ૨૫, ૩૫ અને ૪૫ દિવસે કરવું.
ઊભા પાકમાં સાંકડા પાનવાળા નીંદણ નિયંત્રણ માટે ક્વિઝાલોફોપ-પી-ઇથાઈલ @ ૨૫ ML / ૧૫ LTR પાણી પ્રમાણે ભેળવી નીંદણની ફૂલ અવસ્થા પહેલા છંટકાવ કરવો
ઉત્પાદનમાં ફાઉન્ડેશન બીજ માટે સફેદ રંગની અને સર્ટિફાઈડ બીજ માટે ભૂરા રંગની એજન્સીની ટેગ કે જેમાં પેકિંગ સમયે હાજર રહેલ એજન્સીના અધિકારીના સહી-સિક્કા હોય છે તે અને નિયત માહિતીવાળી ટેગ સાથે સીવી, બેગના બન્ને છેડે સીલ મારવામાં આવે છે. બીજ ઉત્પાદકનું પોતાનું ઓપેલાઈન ગ્રીન (લીલા) રંગનું લેબલ સંપૂર્ણ વિગતો સાથે એજન્સીની ટેગ નીચે રાખી બેગ સાથે સીવવામાં આવે છે આ સીલ કરેલ ફાઉન્ડેશન બીજની બેગો સર્ટિફાઈડ બીજ પ્લોટ લેનાર ખેડૂતો કે સંસ્થા/પેઢીઓ લઈ જાય છે. જયારે સર્ટિફાઈડ બિયારણની બેગો કોમશિયલ વાવેતર માટે બજારમાં પ્રમાણિત બિયારણ તરીકે વેચાણ કરવામાં આવે છે.• જેસીડ, થ્રીપ્સ જેવી ચુસીયા પ્રકારની જીવાતનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. ૧૫ થી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મગઃ • શીંગ કોરી ખાનાર લીલી અથવ ગુલાબી ઈયળ નિયંત્રણ માટે કવીનાલફોસ ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
નીંદણ: રાસાયણિક નિંદણ નાશકોથી ભોતિક પધ્ધતિઓ કરતાં વહેલું, અર્થક્ષામ અને અસરકારક રીતે નિંદણ નિયંત્રણ થઈ શકે પણ જરૂર જણાય તોજ ઉપયોગ કરવો.
• ઘનિષ્ઠ પાક પધ્ધતિઓ જેવી કે બહુપાક પધ્ધતિ, રીલેપાક પધ્ધતિ, આંતરપાક પધ્ધતિ વગેરે અપનાવવા
શાકભાજીઃ • સંકર મરચીમાં રાસાયણિક ખાતર ૧૪૦-૫૦-૫૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. આપવું.
રીંગણી : નાના પર્ણ / લધુપર્ણ / ઘટ્ટીયા પાન
પાક નિંદણમુક્ત રાખવો. રોગ તડતડીયાથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ.તત્વ / હે પ્રમાણે છોડની ફરતે રીંગ પધ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે પાયરીપ્રોકઝીફેન ૧૦ ઈ.સી. ૬ મિ.લી. ૧૦ લીટર પાણીમાં અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી ૪ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવા. શાકભાજી:
ગીર સાવજ એમ.ડી.પી. (રીંગણની ડુંખ અને ફળ કોરી ખાના૨ ઇયળ): ગી૨ સાવજ એમ.ડી.પી. પેસ્ટ ઉપ ગ્રામ પ્રતિ વીઘા (એકસરખા ૧૬) ટપકા) અથવા ૪૦૦ ગ્રામ પ્રતિ હેક્ટ૨ મુજબ (એકસ૨ખા ૧૦૦૦ ટપકા) છોડના ઉ૫૨ના ભાગથી નીચે બે ડાળીની વચ્ચે ચણાની દાળ જેવડા ટપકા મુકવા. આ પેસ્ટનો ઉપયોગ કપાસની સીઝન દ૨મ્યાન ફૂલ અવસ્થાથી ૪૦ દિવસના અંતરે ત્રણ વા૨ ક૨વો
બાગાયતી પાકો:- આંબોઃ
• વાવાઝોડાથી મોર તથા નાના ફળ ખરી પડતા અટકાવવા તથા ગરમ લુ થી રક્ષણ મેળવવા પવન અવરોધક વાડ કરવી જરૂરી છે.નવી રોપેલ કલમોને પણ આરક્ષણ આપવું જરૂરી છે.
• પુખ્ત વયના ઝાડને પ્રતિવર્ષ૧૦૦ કિલો સેન્દ્રીય ખાતર આપવું અથવા લીલો પડવાશ કરવો.રસાયણિક ખાતરોમાં ચોમાસાની શરૂઆતમાં ઝાડદીઠ બે કિલો એમોનિયમ સલ્ફેટ, એક કિલો સુપર ફોસ્ફેટ અને ૧.૨૫કિલો મ્યુરેટઓફ પોટાશ આપવું તેમજ ફેબ્રુઆરીમાં ઝાડ દીઠ અઢી કિલો એમોનિયમ સલ્ફેટ અથવા તેનાથી અડધા પ્રમાણ યુરીયા આપી તરત જ પિયત આપવું. આંબાના પાકમાં કેરી વટાણા જેવડી થાય ત્યારથી પિયત આપવાનું ચાલુ કરવું, આમ છતાં કેરી ઉતારવાના પંદર દિવસ પહેલા પાણી બંધ કરવું જોઈએ.
• આંબામાં કેરી ફળના ખરણ અટકાવવા કેરી વટાણા જેવડી થાય ત્યારે બેગ્રામ નેપ્થીલીક એસીટીક એસીડ (એન.એ.એ.) તથા ૨ કિલો યુરીયાને૧૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
• માલફોર્મેશનવાળા પુષ્પ ગુચ્છો તોડીને નાશ કરવો તથા કાપેલા ઠુંઠા ઉપર કાર્બેન્ડીઝામ દવાનું પોતુ લગાડવું. આઉપરાંત ૧૦૦ લીટર પાણીમાં ૨૦ ગ્રામ એન.એ.એ.ઓગાળી ઝાડ ઉપર છંટકાવ કરવો.
• આંબામાં અનિયમિત ફળણ અટકાવવા માટે જે વર્ષે વધુ ફૂલ આવ્યા હોય, તે વર્ષમાં એપ્રિલ તથા મે માસમાં ૧૦ પી.પી.એમ. ઝીબ્રેલીક એસીડ ૨ ટકા યુરીયાના દ્રાવણના છંટકાવ કરવો.આ ઉપરાંત જુલાઈ માસમાં મોટી ઉમરના
ઝાડને પેકલોબ્યુટ્રાઝોલ૫ ગ્રામ,૧૪ થી૧૫ લી.પાણીમાં ભેળવી જમીનમાં ઝાડ ફરતે નાખવાથી વધુ અને નિયમિત ઉત્પાદન મળેલ છે.
• કેરી ઉતાર્યા પહેલા (૨૫-૩૦ દિવસ) પાણી બંધ કરી દેવું.
• બગીચામાં મધમાખીનો ઉછેર કરવાથી ફળણ ક્રિયામાં વધારો થાય છે.
• કાલવર્ણ રોગના નિયંત્રણ માટે કેરી વટાણા કદની થાય ત્યારે કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ દવા લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • પુખ્ત વયના ઝાડ દીઠ બે કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અથવા એક કિલોગ્રામ યુરીયા આપવું.
બોરઃ
• દેશી બોરડીની સુધારણા માટે શેઢાપાળા ઉપર દેશી બોરડીને જમીનથી બરાબર કાપી નાખવી.
નાળિયેરીઃ
• ૮ થી ૨૫ વર્ષની ઉમરની નાળિયેરીના બગીચામાં પિયત આંતરપાક તરીકે ફેબ્રુઆરી-માર્ચમાં આદુનું વાવેતર કરવું.
• દક્ષિણ સૌરાષ્ટ્રના નાળિયેરીનો પુખ્ત બગીચો
(ડી× ટી) ધરાવતા ખેડૂતોએ પુષ્પગુચ્છ ઉપર સોડીયમ બોરેટ ૦.૪ % (૪ ગ્રામ/લિ.)નો છંટકાવ એક મહિનાના અંતરે જાન્યુઆરી થી જૂન સુધી કરવાથી વધારે ઉત્પાદન અને ચોખો નફો મળે છે.
કેળઃ
• કેળમાં ટપક પધ્ધતિ દ્વારા સુક્ષમ તત્વોનું મિશ્રણ (ગ્રેડ-૫) ૫૦ ગ્રામ પ્રતિ છોડ દીઠ સરખા હપ્તામાં રોપણી બાદ ૧૦ અને ૪૦ દિવસે જમીનમાં અપાવું.
લીંબું: બળિયા ટપકાં
• રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.
• રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૧ ટકાના બોર્ડો મિશ્રણ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લીન) ગ્રામ ૧ + અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
પપૈયાઃ
• થડને કોહવારો ન લાગે તે રીતે ડબલ રીંગ કરી ૪ થી ૫ દિવસે પિયત આપવું. જમીનમાં
પોષ્કતત્વોની ખામી ઉભી થવાના કારણો
(૧) ઘનિષ્ઠ ખેતી પધ્ધતિ અપનાવવાથી
(ર) વધુ ઉત્પાદન આપતી સુધારેલ તેમજ શંકર જાતોનું વાવેતર વધવાથી
(૩) વધુ ટકાવાળા તેમજ શુધ્ધતાવાળા રાસાયણિક ખાતરોનો વધુ પડતો વપરાશ કરવાથી
(૪) ગંધક રહિત ખાતરો જેવા કે યુરીયા, ડીએપી અને મ્યુરેટ ઓફ પોટાશ ખાતરોનો વધુ પડતા ઉપયોગથી ગંધકની ખામી
(પ) દર વર્ષો એક જ પ્રકારના પાકનું વારંવાર વાવેતર કરવાથી
(૬) સેન્દ્રીય ખાતરો જેવા કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ કે ખોળનો ઉપયોગ ઘટવાથી
• આ ઉપરાંત હલકા પ્રતવાળી, રેતાળ, ખડકાળ,પથ્થરાળ,ચૂનાયુકત, ઓછા નિતારવાળી સેન્દ્રીય તત્વનું પ્રમાણ ખુબજ ઓછું હોય, જમીન અતિશય ખારી કે ભાસ્મીક જમીન હોય તેવી જમીનોમાં સુક્ષમતત્વોની ખામી જોવા મળે ફુગ આધારિત કીટનાશકઃ બ્યુવેરીયા બેસીયાના (સફેદ રોગકારક ફુગ): આ ફુગ ‘વ્હાઈટ મસ્કાર્ડીયન ફુગ’ તરીકે પણ ઓળખાય છે. આ ફુગને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થઈ શકે છે. બજારમાં તે બાયોસોફ્ટ, બાયોગાર્ડ, લાર્વેસેલ, બાયોરીન, બાબા બેઝીના, બાયોકેર, બાયોપાવડર, ડિસ્પેલ, બીયુશક્તિ, ટોકિઝનકિઝન, બેવેરોઝ, દમણ વગેરે જેવા જુદા જુદા વ્યાપારી નામે મળે છે. આ ફુગ પાકને નુકસાન કરતી ચુસિયા પ્રકારની જીવાતો અને ઈયળોનું નિયંત્રણ કરે છે. આ ફુગ પાન વાળનાર, ઈયળ, ગાભમારાની ઈયળ, શેરડીના ફુદફુદીયા, મગફળીના સદેફ મુંડા, નાળિયેરીનું ગેંડા કીટક, હિરાફૂદાંની ઈયળ, કપાસની ગુલાબી ઈયળ, તમાકુ અને સૂર્યમુખીના પાન ખાનાર ઈયળ વગેરેનુ નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લી. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જરૂરી છે. આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લી. પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે.
મેટારીઝીયમ એનીસોપ્લી (લીલી રોગકારક ફુગ): આ ફુગ જીવાતના શરીરમાં પ્રવેશ મેળવી ડીસ્ટ્રકસીન નામનું ઝેર ઉત્પન્ન કરે છે જે ઘણા પ્રકારની જીવાતના નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. યજમાન શરીર પર લીલા રંગની ફુગનો ઉગાવો જોવા મળે છે અને આ રોગ પામેલ જીવાત અન્ય જીવાતના સંપર્કમાં આવતા તેને પણ રોગ થાય છે. આ જાતિની ફુગને પ્રયોગશાળામાં ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થાય છે. બજારમાં તે મેટાસોફ્ટ, બાયોમેટ, બાયોસ્ટોર્મ, બ્રિગેડ – એમ, બાયોમેજીક, મેટાકેર, કાલીચક્ર, બાયોકીંગ વગેરે વ્યાપારી નામે મળે છે. આ પ્રકારની ફુગ મગફળીના પાન ખાનાર ઈયળ, નાળિયેરીના ગેંડા કીટક, ચોખાના બદામી ચુસીયા, શેરડીના વેધકો, હીરાફુદાંની ઈયળ, ચુસીયા પ્રકારની જીવાત વગેરેનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લી. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જોઈએ. આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
વર્ટીસીલીયમ લેકાની: આ ફુગ જીવાતના શરીરમાં ખોરાક સાથે અથવા શરીરના સીધા સંપર્ક દ્વારા પ્રવેશ મેળવી, યજમાનની દેહગૃહામાં બીજાણું તેમજ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને ચારથી પાંચ દિવસમાં જીવાત મૃત્યુ પામે છે. આ ફુગ મુખ્યત્વે મોલો મશી, સફેદમાખી, થ્રીપ્સ, ચીકટો, ભીંગળાવાળી જીવાત અને અન્ય ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લી. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જોઈએ. સામાન્ય રીતે આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લી. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
નોમુરિયા રીલે: નોમુરીયા રીલે નામની ફુગ જીવાતના શરીરમાં પ્રવેશ મેળવી દેહગૃહામાં બીજાણુ તેમજ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને ચારથી પાંચ દિવસમાં જીવાત મૃત્યુ પામે છે. આ ફુગ સામાન્ય રીતે લશ્કરી ઈયળ, કાતરા, થડ કાપી ખાનાર ઈયળ, લીલી ઈયળ, તલના ભૂતિયા ફુદાની ઈયળ, દિવેલાની ઘોડીયા અને મકાઈની ગાભમારાની ઈયળમાં રોગ પેદા કરી નિયંત્રણ કરે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લી. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જોઈએ. આ જૈવિક ફુગનો ૪૦ ગ્રામ / મિ.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.













































