ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વરિયન્ટ ઓમિક્રોનનો ખતરો વર્તાઈ રહ્યો છે. આપણી પાસે હાલ કોરોના સામે લડવા માટે વેક્સિંન સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે સુરતમાં મહાનગરપાલિકા લોકોને વેક્સિંન લેવડાવવા ધમપછાડા કરીને અવનવા નિયમો બનાવી રહ્યું છે, પરંતુ આજે એક મોટા રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. એટલે કે જે તંત્ર લોકોને રસી લેવા માટે અજીબોગરીબ નિયમો બનાવે છે તે જ તંત્રમાં કેટલાક કર્મચારીઓ રસી લેતા જ નથી અને બહાનાબાજી કરીને છૂટી જોય છે. સુરત પાલિકાના ૮૭૭ કર્મચારીઓ ૯ માસથી રસી જ લેતાં નથી, અને બહાના તરીકે કારણ આપતા જણાવે છે કે, ‘અમને એલર્જી-ઇન્ફેક્શન ર્છે.
સુરત પાલિકામાં ફરજ બજોવતા તમામ કર્મચારીઓ ૧૦૦ ટકા વેક્સિંનેટડ છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી. જે આ માહિતીનો ભાંડો ફૂટ્યો હતો. તેમાં પ્રથમ અને બીજો ડાઝ વગરના મળી ૭૯૦૦થી વધુ કર્મચારીઓ મળી આવ્યા હતાં. કર્મચારીઓને ફરજિયાત વેક્સિંન માટે તાકીદ કર્યા પછી અત્યાર સુધીમાં ઘણા કર્મચારીઓએ વેક્સિંન લઈ લીધી છે. જોકે, હજી પણ ૮૭૭ કર્મચારીઓ વેક્સિંને વગરના ફરી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના કુલ ૨૧૦૯૬ કર્મચારીઓમાંથી ૨૦૭૪૯એ રસી લીધી છે, એટલે કે હજુ ૮૭૭ કર્મચારીઓ ૯ માસથી વેક્સિંન જ લેતા નથી. વેક્સિંન નહીં લેનારાઓમાં સૌથી વધુ વર્ગ-૨ અને ૩ના ૬૬ અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરત મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે વેક્સિંનેની ટકાવારી ૮૮.૨૮ પર પહોંચી હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે.
સુરત પાલિકાના ૮૭૭ કર્મચારીઓ વેક્સિંને વગરના જ છે. તેઓ મેડિકલના કારણમાં ઇન્ફેક્શન-ઍલર્જી અને માંદગી જેવાં કારણો આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં ૫૩૨ કર્મચારીઓએ તો હજુ સુધી વેક્સિંને નહીં લેવાનું કારણ સુદ્ધાં પણ જણાવ્યું નથી.