જૂનાગઢમાં એક શરમજનક કિસ્સો બન્યો છે. ગોધાવાવની પાટી વિસ્તારમાં રહેતી સગીર વયની બાળા  ઉપર તેના સાવકા પિતાએ નજર બગાડી અવારનવાર દુષ્કર્મ  આચર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશને  નોંધવામાં આવી છે. આ બનાવ સાતેક મહિના પહેલા બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ હાલ શિશુમંગલ સંસ્થા રામનિવાસ પાસે રહેતી અને મૂળ જૂનાગઢના ગોધાવાવ પાટી વિસ્તાર માં એક ઓરડીમાં રહેતી એક સગીર વયની બાળા ઉપર તેના સાવકા પિતાએ આ બાળા સગીર વયની છે, તે જાણતાં હોવા છતાં તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે.

જે બનાવ આજથી સાતેક મહિના પહેલા બન્યો હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ કલમ ૩૭૬(૩), ૩૭૬(૨), એન.પોક્સો એક્ટ કલમ ૬, ૮, ૧૨ અંતર્ગત ગુન્હો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એમ.વાઢેર ચલાવી રહ્યાં છે, તેવું જાણવા મળેલ છે.

નોંધનીય છે કે ગુજરાતમાં બળાત્કારની વધી રહેલી ઘટનાઓને પગલે દીકરીઓની સુરક્ષવ્યવસ્થને લઈ ચિંતા પ્રસરી છે. અને આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી રહી છે.

તાજેતરમાં સુરતમાં બળાત્કારની ઘટનામાં આરોપીઓને કોર્ટમાં જડપી કેસ ચલાવીને સજા કરવામાં આવી છે અને બાળકીઓને શિકાર બનાવતા નરાધમો સામે સરકાર દ્વારા કડક હાથે પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી દાખલો બેસે અને આવા નરાધમોને સજા થાય તો આવી બળાત્કારની ઘટનાઓ પર રોક લાગી શકે છે.

વડોદરામાં સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ તેની સંદિગ્ધ મોતની ઘટના ઘટી હતી. શહેરના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની વલસાડની ટ્રેનમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાના પગલે દુષ્ક્રર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. રાજ્યમાં બેટી બચાવો અને બેટી બઢાવોના બુલંદ નારા વચ્ચે દુષ્કર્મની ઘટનાઓથી ચકચાર મચી ગઈ છે.