લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરનાં સરદાર સર્કલ ખાતે ક્લબના સભ્યો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરી સુતરની આંટી પહેરાવવામાં આવી હતી. ત્યારબાદ સ્મૃતિવંદના અને જય સરદારના નારા લગાવી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. આ તકે લાયન્સ ક્લબના ડિસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઈ મોવલીયા, લા. પ્રમુખ દિનેશભાઈ ભુવા, લા. કાંતિભાઈ વઘાસીયા, રાજુભાઈ પરીખ, ગોરધનભાઈ માંદલિયા, મુકેશભાઈ કોરાટ, જગદિશભાઈ તળાવીયા, કૌશિકભાઈ હપાણી, શિવલાલ હપાણી, જતીનભાઈ સુખડીયા તથા લાયન્સ ક્લબના સદસ્યો હાજર રહ્યા હતા.