શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્વાંજલિ પાઠવી હતી. તેમના નિધનને પગલે આજે રાજય સરકાર દ્વારા રાજકીય શોકદિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ Âસ્થત શ્રી ખોડલધામ મંદિરે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. શ્રી ખોડલધામ મંદિરના ચેરમેન નરેશભાઈ પટેલ અને સમગ્ર ખોડલધામ ટ્રસ્ટ સ્વયંસેવકોએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.