કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) ના પ્રમુખ રઘુરામ ભટ અને કેટલાક અન્ય અધિકારીઓએ શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે કોર્ટને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ કેસમાં નોંધાયેલ એફઆઇઆર રદ કરવાની માંગ કરી. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે રાજ્ય ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી દીધી.
તમને જણાવી દઈએ કે ગુરુવારે કર્ણાટક પોલીસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ડ્ઢદ્ગછ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સામે એફઆઇઆર નોંધી હતી. ત્યારબાદ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને હાઈકોર્ટનો સંપર્ક કર્યો. આ કેસમાં કોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી સુધી કોઈપણ અધિકારી સામે કોઈ કાર્યવાહી ન કરવી જાઈએ.
કેસની સુનાવણી કરનારા ન્યાયાધીશ એસ.આર. કૃષ્ણ કુમારે કેએસસીએ અધિકારીઓને વચગાળાની રાહત આપી છે. કેસની સુનાવણી ૧૬ જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. અરજદારો તરફથી વરિષ્ઠ વકીલો અશોક હરનહલ્લી અને શ્યામ સુંદર હાજર રહ્યા હતા, જ્યારે રાજ્ય વતી એડવોકેટ જનરલ શશી કિરણ શેટ્ટીએ દલીલો કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે દ્વારા દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી પર સુનાવણી કરતી કોર્ટે કેસની સુનાવણી ૯ જૂન સુધી મુલતવી રાખી.
કર્ણાટક હાઈકોર્ટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માર્કેટિંગ અને રેવન્યુ હેડ નિખિલ સોસાલેની અરજી પર પણ સુનાવણી કરી. જેમાં તેમણે તેમની ધરપકડને પડકાર ફેંક્યો છે. એટર્ની જનરલે કહ્યું કે આરોપી નિખિલને આજે સવારે દુબઈ જતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તપાસ ચાલુ રહેવા દો, જરૂર પડ્યે જ ધરપકડ કરવામાં આવશે.
આ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચાર અધિકારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરસીબી માર્કેટિંગ અને રેવન્યુ હેડ નિખિલ સોસાલે,ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સુનીલ મેથ્યુ અને કિરણ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાંથી કેટલાકને શહેરની બહાર આવેલા કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
બેંગલુરુ ભાગદોડની ઘટના પર કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું, “અમે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે… હાલમાં ન્યાયિક તપાસ ચાલી રહી છે. તેમાં જે પણ પુરાવા બહાર આવશે તેના આધારે અમે કાર્યવાહી કરીશું.” તેમણે વધુમાં કહ્યું, “જા ભાજપ આ ઘટના પર (રાજ્યના) ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે, તો તે જ માપદંડથી, તે જ નિયમથી, પહેલા યોગી આદિત્યનાથ, પહેલગામ ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ નીતિ પર વિદેશ મંત્રી એસ. જયશંકરને સસ્પેન્ડ કરવા જાઈતા હતા. જયશંકર અને વડા પ્રધાનને પણ રાજીનામું આપવાનું કહેવું જાઈએ. અમારા માટે અલગ નિયમો અને ભાજપ માટે અલગ નિયમો ન હોઈ શકે.
બુધવારે સાંજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે આ નાસભાગ મચી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો આરસીબી ટીમની આઈપીએલ જીતની ઉજવણીમાં જાડાવા માટે એકઠા થયા હતા. આ નાસભાગ દરમિયાન ૧૧ લોકો માર્યા ગયા અને ૫૬ લોકો ઘાયલ થયા.