લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે દવે પરિવાર દ્વારા તા.૧પ જૂનને રવિવારના રોજ સુરાપુરાદા અને પીપળેશ્વર મહાદેવ દાદાના પાટોત્સવ તેમજ મહાદેવનાં અભિષેકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસર દરમ્યાન દવે પરિવાર હસ્તે નાના ભુલકાઓને કિટ વિતરણ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં વસતા સૌરાષ્ટ્ર ખેડાવાળ બ્રાહ્મણ રાકોળીયા પરિવાર દ્વારા મોટા કણકોટ ગામે કમલાનંદ ભવન ધામે પૂ.બાપાના આશીર્વાદ તથા મહા પ્રસાદ લેવા ભાવિ ભક્તોને પધારવા અને આશીર્વાદ લેવા આમંત્રણ પાઠવામાં આવેલ છે.