જાફરાબાદના હેમાળ ગામે ગાળો બોલવાની ના પાડતાં છરીનો ઘા મારવામાં આવ્યો હતો. બનાવ અંગે ભુપતભાઇ ઉકાભાઇ જાદવે રમેશભાઇ બાલુભાઇ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરની બહાર બજારમાં તેની બાજુમા રહેતો આરોપી કોઇની સાથે બોલાચાલી કરતો હતો તથા જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો. જેથી તેમણે તેને ગાળો બોલવાની ના પાડતા આરોપીને સારૂ નહોતું લાગ્યું અને તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત તેની પાસે રહેલી છરીનો ઘા ડાબા હાથની કોણીમા મારી બે ટાંકા આવે તેવી ઇજા પણ કરી હતી. ઘટનાની નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.