સાવરકુંડલા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા સાવરકુંડલાના ફૂલવાડી હનુમાનજી મંદિર પરિસરમાં ‘પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત, મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણને હરિયાળું બનાવવાના હેતુથી પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.સાવરકુંડલા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા પણ વનવિભાગના કર્મયોગીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન માત્ર કચરો એકત્ર કરવા પૂરતું સીમિત નથી, પરંતુ સ્વચ્છતા જાળવવા, પાણી બચાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી પર્યાવરણની જાળવણી કરવા અંગે
જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે. આ પ્રયાસો અમરેલી જિલ્લાને સ્વચ્છ અને હરિયાળો બનાવવામાં મદદરૂપ થશે.