સાવરકુંડલાનાં સહજાનંદનગરમાં રહેતા ક્રિષ્નાબેન ચેતનભાઈ ટાંકને ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીનો જન્મ થયો હતો અને તેને જન્મજાત હૃદયની બીમારી જણાઇ હતી. આ બાબતની જાણ સાવરકુંડલા આર.બી.એસ. કે. (શાળા આરોગ્ય) ટીમના ડો. ઋત્વિક પટેલ તથા ડો. મનીષા પટેલને થતાં તેમણે સંદર્ભ કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ તથા જિલ્લા કક્ષાએથી મંજૂરી લેવડાવીને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન ફ્રીમાં કરાવ્યું હતું.