સાવરકુંડલાના વૈદકીય રાહત મંડળ ટ્રસ્ટ દ્વારા શહેરના સાવર અને કુંડલા એમ બંને વિભાગમાં દવાખાના ચલાવવામાં આવે છે. જે દવાખાનામાં રાહત દરે દર્દીઓની સારવાર કરવામાં આવે છે. હાલ કુંડલા વિભાગના શેઠ શેરી ખાતે આવેલા સાર્વજનિક દવાખાનામાં ડો. નરેશ હડિયા અને સાવર વિભાગમાં આઝાદ ચોક ખાતેના દવાખાનામાં ડો.સુહાનીબેન સવટ દાંતના વિભાગમાં કાર્યરત છે અને દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તેમાં આજથી કુંડલા વિભાગના શેઠ શેરી ખાતે આવેલા સાર્વજનિક દવાખાનામાં ડો. અમી પાંધીના માર્ગદર્શન હેઠળ હોમિયોપેથિક વિભાગનો પ્રારંભ થયો હતો. ટ્રસ્ટના પ્રમુખ ભુપેશભાઈ મહેતા અને મંત્રી હિતેનભાઈ દોશીની ભાવના હતી કે સાવરકુંડલા શહેર અને પંથકના જૂના હઠીલા રોગ, એલર્જીથી થતા રોગ, માનસિક રોગ, મહિલાઓના રોગની આડઅસરરહિત સચોટ અને અક્સીર સારવાર સાવરકુંડલામાં જ મળવી જોઈએ.