સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા માનવમંદિર આશ્રમમાં સાધુ ભક્તિરામ બાપુએ એક અનોખી પહેલ કરી છે. તેમણે પોતાનું રહેણાંક મકાન કન્યા છાત્રાલય માટે સમર્પિત કર્યું છે, અને મંદિરના પૂજારીઓના બાળકો માટે નિઃશુલ્ક કુમાર છાત્રાલયનું લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમમાં મોરારીબાપુ, પુરુષોત્તમભાઈ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી સહિત અનેક સાધુ-સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કુમાર છાત્રાલયમાં ૨૦ બાળકોને પ્રવેશ અપાયો છે, જેમની અભ્યાસ ફી નૂતન કેળવણી મંડળ અને આરોગ્ય સેવાઓ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ દ્વારા સંભાળવામાં આવશે. આ પ્રસંગે ઓપરેશન સિંદૂરમાં સફળ સૈનિક દુધરેજીયાનું પણ સન્માન કરાયું હતું.