સનાતનને ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવી બીમારી ગણાવનારા ડ્ઢસ્દ્ભ નેતા અને તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને ચેન્નાઈમાં ડીએમકે કાર્યકરોને પાર્ટીની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી તેમજ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
ડીએમકેના ૭૦ વર્ષના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ટોચના નેતાએ હિન્દુ સમુદાયને આટલી શુભકામનાઓ મોકલી હોય. આ જાઈને ત્યાં હાજર ઘણા કાર્યકરો આશ્ચર્યચકિત થઈ ગયા. ઉધયનિધિએ કહ્યું, ડીએમકેની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી અને દીપા ઓલી થિરુનલની શુભેચ્છાઓ જેઓ તેને ઉજવે છે અને તેમાં વિશ્વાસ કરે છે. દીપા ઓલી થિરુનલનો અંદાજે અર્થ થાય છે પ્રકાશના તહેવારનો દિવસ. જ્યારે ઉત્તરમાં, દિવાળી ભગવાન શ્રી રામ અને સીતા દેવીના વનવાસમાંથી અયોધ્યા પરત ફરવાનું ચિહ્નિત કરે છે, દક્ષિણમાં આ તહેવાર ભગવાન કૃષ્ણ અને તેમની પત્ની સત્યભામાના રાક્ષસ રાજા નરકાસુર પરના વિજયને દર્શાવે છે.
ઉધયનિધિના આ નિવેદન પર રાજ્યના બીજેપી નેતા નારાયણન તિરુપતિએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા લખ્યું કે, જેઓ આસ્તિક નથી તેઓને નરકાસુરની જેમ જીવવાની શુભેચ્છા.