સંવેદનાનું શિક્ષણ આપતી સંસ્થા શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ સવારની પ્રાર્થનાસભા દરમિયાન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કરુણ ઘટના અંગે ધોરણ ૪ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિમાન દુર્ઘટના અને બી.જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં થયેલી જાનહાનિ અંગે જાણીને બાળકો શોકમગ્ન બન્યા હતા. ત્યારબાદ, શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓની શાંતિ માટે પરમકૃપાળુ પરમાત્માને મૌન પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.