વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોડીનાર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા પ્રમુખ એહસાનભાઈ નકવી, ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, ફોરેસ્ટ અધિકારીઓ અને સખીમંડળની બહેનોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ જતનનો સંકલ્પ લેવાયો હતો અને સખીમંડળની બહેનોને પ્રોત્સાહક ભેટ અપાઈ હતી.