વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લોકોમાં પ્રકૃતિ તથા પશુ પક્ષી સાથે પ્રેમ વધે અને ધરતીને ઓક્સિજન આપતા વૃક્ષોનો સારી ઉછેર થાય એ અભિગમ સાથે વીર શહીદ મનીષ મહેતા મોમોરીયલ ટ્રસ્ટ અમરેલી દ્વારા નાગદેવતા મંદિર રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ તથા ચકલીઓના માળા તથા પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલીના રાજકીય તથા વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકો, નગરજનોએ ભાગ લીધો હતો.