વિજપડીમાં માધવ સેવા ટ્રસ્ટ દ્વારા ૧૨૩મો નેત્ર નિદાન કેમ્પ રવિવારે યોજાયો હતો. અમરેલીના સુદર્શન નેત્રાલયના સહયોગથી લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં ૧૨૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેમ્પના દાતા લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા તમામ લોકોને ચા-પાણી તેમ જ સ્ટાફને ભોજન આપવામાં આવેલ હતું. માધવ સેવા ટ્રસ્ટના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પના લાભાર્થીઓએ માધવ સેવા ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી.