અમરેલી જિલ્લામાં વહીવટી તંત્રએ ખનન માફિયાઓ સામે લાલ આંખ કરી રોયલ્ટી પાસ વગરનું ખનીજ અને ઓવર લોડેડ વાહનોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. વડીયા-કુંકાવાવ તાલુકામાં ઇન્ચાર્જ મામલતદાર અને તેમની ટીમ દ્વારા વડીયામાંથી પસાર થતા ખનીજના ડમ્પર નં. gj ૧૦ t ૯૧૦૫ને રોકીને તેના ચાલક પાસે રોયલ્ટી પાસ પરમીટ માગી હતી, જે તેની પાસે ન હોવાથી તે ૧૧ ટન ખનીજ સાથે કુલ રૂ. ૭૦૨૮૮૩/-નો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં વડીયાના સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટી પણ જોડાયા હતા. આ કાર્યવાહી થતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.