અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડ મામલે જિલ્લાભરમાં ભારે ચકચાર જગાવી હતી અને આ સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ તપાસ થાય તે માટે અમરેલી જિલ્લાનાં લોકોએ નિર્લિપ્તરાય દ્વારા તપાસ કરવા માંગ કરી હતી. રાજય સરકાર દ્વારા સમગ્ર ઘટનાની નિસ્પક્ષ તપાસ માટે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્તરાયને નિયુકત કરવામા આવ્યા હતા. જેની તપાસ માટે નિર્લિપ્તરાય ટીમ સાથે સોમવારે અમરેલી આવશે અને આ સમા્ર ઘટનાની તપાસ કરશે.