‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે લીલીયા તાલુકાના ક્રાંકચ અને ભોરિંગડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્‌યા અને DRDA નિયામક કે.જે. જાડેજાએ આ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. ક્રાંકચ ગ્રામ પંચાયત અને સદભાવના વૃદ્ધાશ્રમે ૧૦,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. આ પ્રસંગે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પર્યાવરણ જાળવણી માટે જનજાગૃતિ લાવવા આહ્‌વાન કરાયું હતું. તાલુકા વિકાસ અધિકારી લીલીયા દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં નાગરિકોને વધુ વૃક્ષો રોપવા અને પ્લાસ્ટિકમુક્ત જીવન અપનાવવા અપીલ કરાઈ હતી.