લીલીયાના કુતાણા ગામે બજારમાં કાંટા વેરવાની ના પાડતાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે જીતુભાઈ મગનભાઈ જોટંગીયા (ઉ.વ.૫૦)એ દેહાભાઈ ભગવાનભાઈ બેરા, સુરાભાઈ દેહાભાઈ બેરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ત્હોમતદારો તેમના ઘર પાસે કાંટાની વાડ કરતા હતા. તે વખતે તેમની ચાલવાની બજારમાં કાંટા વેરાતા હતા જેથી તેમણે બજારમાં કાંટા વેરવાની ના પાડતા સારૂ નહોતું લાગ્યું અને ઉશ્કેરાઇ જઈ તેમને જેમફાવે તેમ ગાળો આપી હતી. તેમજ ડાબા હાથે પાઈપના બે ઘા મારી ફ્રેક્ચરની ઇજા કરી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી.બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.