રાજુલા શહેરના નાગરિકોની લાંબા સમયની માગણી અને સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજૂઆતોને ધ્યાનમાં લઈને શહેરમાં નવું સિટી સિવિલ જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશનની સામે સેનેટરી વિભાગના ઉપલા માળે કાર્યરત થયેલું આ કેન્દ્ર નાગરિકોને વિવિધ સેવાઓ પૂરી પાડશે. આ જનસેવા કેન્દ્રમાં નાગરિકો આવકના દાખલા, મિલકતવેરા, દુકાનવેરા અને મેરેજ સર્ટિફિકેટ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો મેળવી શકશે. વધુમાં, નગરજનોની વિવિધ ફરિયાદોનું પણ અહીંથી નિરાકરણ કરવામાં આવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્રમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા સેવાઓ આપવામાં આવશે. જનસેવા કેન્દ્ર રજાના દિવસો સિવાય દરરોજ સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસરે શહેરના નાગરિકોને આ નવી સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.