રાજુલામાં ભેરાઇ રોડ પર આવેલા સિદ્ધિવિનાયક નવગ્રહ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કથાનો પ્રારંભ ૨૮.૦૫.૨૦૨૫ના રોજ થયો હતો અને કથાનું સમાપન ૦૫.૦૬.૨૦૨૫ના રોજ થશે. આ કથામાં વ્યાસપીઠ પર નીલકંઠદાદા વડિયા પોતાની મધુર વાણી સાથે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવે છે. કથાના પાંચમા દિવસે શિવ વિવાહનો પ્રસંગ ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ કથાના આયોજનમાં વિવિધ મહિલા મંડળની બહેનો દ્વારા વિવિધ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને શ્યામ સત્સંગ મહિલા મંડળની બહેનો દ્વારા આ કાર્યક્રમમાં પોતાની વિશિષ્ટ સેવા આપવામાં આવી રહી છે. આ કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજરી આપી રહ્યા છે.મંદિરના પૂજારી મહેશભાઈ ઠાકરે જણાવ્યું કે, કથામાં આવતી ભેટ રકમ મંદિરના વિકાસમાં વાપરવામાં
આવશે.