અમેરિકાના ટ્‌વીન ટાવર્સ પર આતંકી હુમલાના સુત્રધાર આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાને અબોટાબાદમાં શરણ આપી હતી. અમેરિકાએ તેને ખોળી કાઢ્યો અને ત્યાં હુમલો કરી લાદેનને મારી નાખ્યો. આ એક નોન મીલીટરી ઓપરેશન હતું. એટલે પ્રોટોકોલ મુજબ અમેરિકાએ પાકિસ્તાનને જાણ કરી કે અમે આ પ્રમાણેનો હુમલો કર્યો છે અને ઓસામા બિન લાદેનને માર્યો છે. ભારતે બાલાકોટ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનને જાણ કરી હતી કે અમે તમારા ઘરમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. આ એક અલિખિત સમજૂતી છે. દેશની આર્મી કોઈ બીજા દેશના નોન મીલીટરી વિસ્તાર કે ઓર્ગેનાઈઝેશન પર એટેક કરે છે તો એ દેશને કહેવાની જરૂર છે. ભારતીય સેનાની આ જાણકારી પાકિસ્તાનને આપવાની મૂવ પર રાહુલ ગાંધી સવાલો કરી રહ્યા છે. એમનું એવું માનવું છે કે સેનાએ પાકિસ્તાનને હુમલો કરતા પહેલા જાણકારી પહોચાડી દીધી કે અમે હુમલો કરવા આવી રહ્યા છીએ તમે તૈયાર રહેજો. એ મનોવૈજ્ઞાનિક તારણ છે કે માણસ પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે બીજાઓ પાસેથી અપેક્ષાઓ રાખે છે. કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓના ટ્‌વીટ, નિવેદન પાકિસ્તાનની ટીવી ચેનલો ચલાવી રહી છે. રાહુલ ગાંધીના ભારતના વિદેશમંત્રીને સવાલ કરતા નિવેદનો પાકિસ્તાની મીડિયાની હેડલાઈનમાં ચાલે છે કે જુઓ ભારતના વિપક્ષના મુખિયા દેશના વિદેશમંત્રી અને ઓપરેશન સિંદૂર પર સવાલો કરી રહ્યા છે. ત્યાં બધું બરાબર નથી. રાહુલ ગાંધી, વિપક્ષના બીજા અમુક નેતાઓ, દલાલ પત્રકારો, ભાંડ ફિલ્મી નટનટીઓ પાકિસ્તાની મીડિયાના હીરો બની ગયા છે. મહમદ અલી ઝીણા કહી ગયા હતા કે અહી એક પ્રજાનો હીરો બીજી પ્રજાનો વિલન છે, અને એક પ્રજાનો વિલન બીજી પ્રજાનો હીરો છે. ભારતની જનતાએ વહેલાસર નક્કી કરી લેવું પડશે કે દેશના હીરો કોણ છે અને પાકિસ્તાનનો હીરો કોણ છે ? રાજદીપ સરદેસાઈ નામનો એક પત્રકાર જે મોદીના રાષ્ટ્રીય રાજનીતિમાં આગમનથી લઈને આજના તુર્કીના બહિષ્કારથી ખુબ દુઃખી છે. એ પોતે અનેક જગ્યાએથી બહિષ્કૃત અને હડધૂત થઇ ચુક્યો છે. પાકિસ્તાનને યુધ્ધમાં મદદ કરનાર દેશ તુર્કીનો દેશની જનતાએ સ્વેચ્છાએ બહિષ્કાર કર્યો છે. ત્યાં ફરવા જનાર હિન્દુસ્તાનીઓએ બુકિંગ રદ્દ કરાવ્યા છે, પુનાના વેપારીઓએ સફરજન તુર્કીથી મંગાવવાના બંધ કર્યા છે, વેપારીઓએ માર્બલ મંગાવવાનો બંધ કર્યો છે, આ બધું પ્રજાએ સ્વેચ્છાએ કર્યું છે, આમાં કોઈ સરકારી આદેશ નથી. સૌથી વધુ દર્દ આ બધી વસ્તુના કારોબારીઓને થવું જોઈએ. એમની દુકાન બંધ થઇ છે. રાજદીપ સરદેસાઈની કઈ દુકાન બંધ થઇ છે, એ એક વિચારવાનો વિષય છે. ભારતીય જનતા પક્ષના મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા પર જે વિવાદિત ટીપ્પણી કરવામાં આવી હતી એ બદલ એમના વિરુદ્ધ સુપ્રીમમાં કેસ દાખલ થઇ ચુક્યો છે. સેનાનું મનોબળ તોડતા આ તત્વો વિપક્ષોમાં જ હોય એ જરૂરી નથી. ભારતીય જનતા પક્ષ પણ હજુ પક્ષ તરફથી કોઈ દેખીતા એક્શન ન લઈને વિપક્ષની પંગતમાં શા માટે બેસવા જઈ રહ્યો છે ? એક સમય હતો જયારે દેશની અગ્રગણ્ય ટીવી ચેનલ પર બેસીને પ્રાઈમ ટાઈમ સ્લોટમાં યાસીન મલિક જેવા આતંકવાદીને યાસીન સાહબ કહીને રાવલપીંડીથી લાઈવ ચર્ચા માટે આમંત્રણ આપતા દેશના દલાલ પત્રકારોની તૂતી બોલતી હતી, જે આજે બધી ચેનલોમાંથી પછવાડા પર લાત ખાઈને ખાનગી યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે, પણ ભારત વિરોધની અકબંધ માનસિકતા આજે પણ સાબૂત છે. એ યાસીન મલિક આજે નવા ભારતમાં સાડા છ વર્ષથી જેલમાં છે અને આ ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફના એક જવાનને પાકિસ્તાન દ્વારા કેદ પકડવામાં આવ્યો હતો, તેની રિહાઈના બદલામાં આ યાસીન મલિકની બીવી યાસીન મલિકને છોડાવવાનું પાકિસ્તાન સરકારને કહી રહી હતી. ભૂતકાળમાં આ દેશદ્રોહી પત્રકાર જમાતે દેશના દુશ્મનો સાથે કેવા કેવા સોદાઓ કર્યા હશે. જે સોદો આજે યાસિન મલિકની બીવી કરાવવા માંગે છે, એવા સોદા ભૂતકાળમાં આ નમકહરામોએ નહિ કર્યા હોય ? દેશભક્તિની ફિલ્મો કરીને દેશની જનતાના ખિસ્સામાંથી અઢળક પૈસા કમાઈને બેઠેલા હિન્દુસ્તાનના ભાંડ નટનટીઓના મોઢામાં આવા સમયે વિષ્ટા ભરાઈ જાય છે. દેશની અંદરના સિલેક્ટેડ બનાવોને લઈને દેશમાં અસુરક્ષિત મહેસૂસ કરતા છછુંદરો દેશની સેનાને પ્રોત્સાહિત કરવા દરમાંથી બહાર આવી નથી શકતા. જેના લીધે દેશમાં તેઓ સુરક્ષિત છે, દુશ્મન દેશનો એકપણ હુમલો જેણે સફળ નથી થવા દીધો એ ભારતીય આર્મી માટે એમના મોઢામાંથી પ્રસંશાનો એક હરફ નહિ નીકળે. યુસુફ પઠાણ, પવન ખેડા, વિજય શાહ માત્ર સપાટી પરના ચહેરાઓ છે, સપાટી નીચે દેશવિરોધી કુત્સિત માનસિકતા ખદબદી રહી છે. આ યુદ્ધ દરમિયાન ઓવૈસીના પાકિસ્તાન માટેના નિવેદનોએ હિન્દુઓનું પણ દિલ જીતી લીધું છે. કમસે કમ આ વખતે એણે સાબિત કરી દીધું છે કે એ દેશની અખંડતા અને સંપ્રભુતા સાથે ઉભા છે. દેશની સેના અને સરકાર પર સવાલો ઉઠાવીને પાકિસ્તાનનો રાજીપો કમાવા નથી ઉભા. એમના નિવેદનો બદલ પાકિસ્તાનની જનતા દ્વારા જયારે ઓવૈસી ટ્રોલ થયા ત્યારે એમના વતી દેશની જનતા દ્વારા પાકિસ્તાનના ટ્રોલરોને ખદેડી દેવામાં આવ્યા છે. સેના પર સવાલો કરવાના, પાકિસ્તાન રાજી થાય એવા નિવેદનો સતત ઓકતા રહેવા, યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન પણ પોતાના એજન્ડાઓ પાર પાડવા મથતા રહેવું, આ બધા બનાવો અને વ્યક્તિઓ પૃથક નથી, એક અદ્રશ્ય સાંકળથી જોડાયેલા છે. એ સાંકળ છે દેશની મુખ્યધારાથી અલગ કે વિરુદ્ધ ચાલવાની. જયારે દેશની ભાવના કોઈ એક મુદ્દે દ્રઢ કે જાગૃત થાય છે ત્યારે એ મુદ્દાને સતત ઠોકરો મારવાની આ વૃતિ અકારણ નથી. એક દાયકાથી સત્તા વિહોણો વિપક્ષ, રોજગાર વિનાના યુટ્યુબ ચેનલ ચલાવવા મજબૂર પત્રકારો, જેના સરકારી માનઅકરામ અને રોટીબોટી છીનવાઈ ગઈ છે તેવા બુદ્ધિજીવીઓની હાલત દેશમાં અત્યારે સૌથી વધુ ખરાબ છે. પહેલાને નજીકના ભવિષ્યમાં સત્તા મળવાના કોઈ એંધાણ દેખાતા નથી, બીજાને રોજગાર મળવાની કોઈ ખાતરી દેખાતી નથી અને ત્રીજાને ભૂતકાળના સરકારી પૈસે ઐયાશી કરવાના દિવસો પરત આવે એવું દેખાતું નથી અને ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. ક્વિક નોટ – જ્યાં સુધી છેલ્લી ગોળી શૂટ કરી નથી ત્યાં સુધી હારજીતનો ફેંસલો આવ્યો નથી અને યુદ્ધ ચાલુ છે.