વડાપ્રધાન મોદીએ આજે રૂ. ૧૨,૨૦૦ કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ સમય દરમિયાન તેણે સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન વચ્ચે નમો ભારત ટ્રેનમાં પણ મુસાફરી કરી હતી.મોદીએ સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે લગભગ રૂ. ૪,૬૦૦ કરોડના ખર્ચે બનેલ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના ૧૩ કિલોમીટરના પટ્ટાનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે દિલ્હીને તેની પ્રથમ નમો ભારત કનેÂક્ટવિટી મળી. આનાથી દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે.
આ દરમિયાન પીએમ મોદીએ સાહિબાબાદથી ન્યૂ અશોક નગરની યાત્રા કરી હતી. આ ટ્રેનમાં પેસેન્જર ઓપરેશન રવિવારે સાંજે ૫ વાગ્યાથી શરૂ થશે અને ૧૫ મિનિટના અંતરે ટ્રેન ઉપલબ્ધ રહેશે. ન્યૂ અશોક નગર સ્ટેશનથી મેરઠ દક્ષિણનું ભાડું સ્ટાન્ડર્ડ કોચ માટે રૂ. ૧૫૦ અને પ્રીમિયમ કોચ માટે રૂ. ૨૨૫ છે. નવનિર્મિત ૧૩ કિમીના પટમાંથી છ કિમી ભૂગર્ભ છે અને તેમાં આનંદ વિહારનો સમાવેશ થાય છે, જે કોરિડોર પરનું મુખ્ય સ્ટેશન છે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે નમો ભારત ટ્રેન ભૂગર્ભ વિભાગ પર દોડશે. આ ઉદ્ઘાટન સાથે જ નમો ભારત ટ્રેન હવે દિલ્હી પહોંચશે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગયા વર્ષે ૨૦ ઓક્ટોબરે સાહિબાબાદ અને દુહાઈ ડેપો વચ્ચેના ૧૭ કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં સાહિબાબાદ અને મેરઠ દક્ષિણ વચ્ચેનો ૪૨ કિલોમીટર લાંબો કોરિડોર કાર્યરત છે, જેમાં નવ સ્ટેશન છે. તેમણે માહિતી આપી હતી કે આ ઉદ્ઘાટન સાથે, નમો ભારત કોરિડોરનો કાર્યકારી વિસ્તાર કુલ ૧૧ સ્ટેશનો સાથે વધીને ૫૫ કિલોમીટર થઈ જશે. આ વિભાગ પર કામગીરી શરૂ થતાં, મેરઠ શહેર હવે સીધું દિલ્હી સાથે જાડાયેલું છે. અધિકારીઓએ કહ્યું કે આનાથી મુસાફરીનો સમય એક તૃતિયાંશ જેટલો ઘટશે, જેથી મુસાફરો ન્યૂ અશોક નગરથી મેરઠ દક્ષિણ સુધી માત્ર ૪૦ મિનિટમાં મુસાફરી કરી શકશે.
આ સિવાય પીએમ મોદી દિલ્હી મેટ્રોના ચોથા તબક્કા હેઠળ લગભગ ૧,૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના ૨.૮ કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાનો આ પ્રથમ વિભાગ છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આનાથી પશ્ચિમ દિલ્હીના કૃષ્ણા પાર્ક, વિકાસપુરી અને જનકપુરીના ભાગો સહિતના અન્ય વિસ્તારોને ફાયદો થશે. પીએમ મોદી દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના ૨૬.૫ કિલોમીટર લાંબા રિથાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કરશે. તેના નિર્માણ પાછળ ૬,૨૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ કોરિડોર દિલ્હીના રિથાલાને હરિયાણાના નાથુપુર (કુંડલી) સાથે જાડશે, જે દિલ્હી અને હરિયાણાના ઉત્તર-પશ્ચિમ ભાગો વચ્ચેના જાડાણમાં નોંધપાત્ર સુધારો કરશે. આ વિસ્તૃત રેડ લાઇન દ્વારા દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મુસાફરીને સરળ બનાવશે. તે જ સમયે, પીએમ મોદી રોહિણીમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટની નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કરશે. લગભગ ૧૮૫ કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે.