વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાબરા તાલુકાના સુખપુર ગામે સરકારી માધ્યમિક શાળામાં જિલ્લા પંચાયતના કાર્યદક્ષ સદસ્ય પ્રભાતભાઈ ડી. કોઠીવાળના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુખપુરના સરપંચ વલ્લભભાઈ બારીયા, ઉપ સરપંચ દેહુરભાઈ ચાવડા, વાઘજીભાઈ ઘોડા, લાલજીભાઈ ઝાપડીયા, તાલુકા પંચાયત સદસ્ય વિનુભાઈ ઝાપડીયા, વિઠ્ઠલભાઇ તેમજ તાલુકા પંચાયતમાંથી વિજયભાઈ તલાવડીયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઝાપડીયા, તલાટી મંત્રી હર્ષિદાબેન વગેરેએ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા સુખપુર ગામના વિકાસના પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવી હતી. ભવિષ્યમાં પર્યાવરણની રક્ષા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.