(એ.આર.એલ),ઢાકા,તા.૨૩
થોડા મહિના પહેલા બાંગ્લાદેશમાં થયેલા હિંસક વિરોધ બાદ શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું. શેખ હસીનાએ દેશ છોડ્યા પછી બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા થઈ હતી અને લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ લાંબા સમયથી સ્થતિ સામાન્ય હોવાનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ ફરી વિરોધ શરૂ કર્યો છે. હવે વિદ્યાર્થી સંગઠને મંગળવારે ઢાકામાં પ્રદર્શન કરીને પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનને પદ પરથી હટાવવાની માંગ કરી છે.
થોડા મહિના પહેલા જ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર એક અગ્રણી વિદ્યાર્થી સંગઠને ઢાકામાં પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગ કરી હતી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે રાષ્ટÙપતિ ફાસીવાદના સાથી છે. તે નરસંહારની તરફેણમાં હતો. અમે તેમના રાજીનામાની માંગ કરીએ છીએ.
હકીકતમાં, ગયા અઠવાડિયે બાંગ્લાદેશના રાષ્ટપતિ મોહમ્મદ શહાબુદ્દીને બાંગ્લા દૈનિકને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં રાષ્ટપતિ શહાબુદ્દીને કહ્યું હતું કે તેમની પાસે એવા કોઈ દસ્તાવેજી પુરાવા નથી કે ઓગસ્ટમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના ભારે વિરોધ વચ્ચે શેખ હસીનાએ દેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિરોધીઓના એક જૂથે ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં ધરણા કર્યા અને બંધારણને રદ્દ કરવા અને ‘ક્રાંતિકારી સરકાર’ની રચના માટે હાકલ કરી. દેખાવકારોએ રાષ્ટપતિના રાજીનામાની અને શેખ હસીનાની પાર્ટી અવામી લીગ અને તેના સહયોગીઓની રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની માંગ કરી હતી. વિરોધીઓએ રાષ્ટપતિના સત્તાવાર નિવાસસ્થાન ‘બંગભવન’ તરફ પણ કૂચ કરી છે.