બગસરા શહેરમાં આજે એક અનોખો દેશભક્તિનો માહોલ જોવા મળ્યો, જ્યારે અગ્નિવીર ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરીને પરત ફરેલા સ્થાનિક યુવા સૈનિકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉદયભાઈ ભરતભાઈ જલશાણીયા નામના આ યુવા સૈનિકે સિકંદરાબાદ ખાતે અગ્નિવીર તાલીમ પૂર્ણ કરી ભારતીય સેનામાં જોડાવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સવારે ૯ વાગ્યે રામદેવપીર મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન, માર્ગ પર આવતા તમામ વેપારીઓએ ઉત્સાહપૂર્વક ઉદયભાઈનું સ્વાગત કર્યું હતું. તેમને હાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.